Monday, January 19, 2026

Taj હોટલ બનાવી ટાટા એ કોની સાથે લીધો હતો બદલો ?…

               રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાની વિદાય એટલે એક યુગનો અંત કહી શકાય. ટાટા મીઠાથી લઈને સ્ટીલ સુધી બધું જ બનાવે છે, પરંતુ ટાટાની આ કંપનીને વૈશ્વિક બનાવવાનું કામ રતન ટાટાએ કર્યું. ટાટા એક બિઝનેસ મેન હોવા છતાં, બિઝનેસ સિવાય, લોકો તેમને ભારતમાં તેમના યોગદાન અને તેમની સાદગી માટે ઓળખે છે. રતન ટાટાએ પોતાની પાછળ 3800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડી દીધી છે એવું કહેવાય છે કે તાજ હોટલ સાથે રતન ટાટાનું ખાસ કનેક્શન હતું, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ટેક્સટાઈલ બિઝનેસ કરતા ટાટાએ જ્યારે હોટલ બિઝનેસમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 1898 હતું. ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાએ અચાનક જાહેરાત કરી કે તેઓ એક આલીશાન હોટેલ બનાવવા જઈ રહ્યા છે. આ હોટેલ મુંબઈમાં બની રહી હતી, જેને આપણે આજે હોટેલ તાજ તરીકે ઓળખીએ છીએ અને જેના પર 26 સપ્ટેમ્બર 2008ના રોજ હુમલો થયો હતો. જ્યાં રતન ટાટા પણ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે અમે તેને ફરીથી બનાવીશું.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS