Wednesday, March 12, 2025

લાઇટ જ કેમ ગઈ? વીજધાંધિયાથી ત્રસ્ત લોકોનું PGVCL કચેરીમાં હલ્લાબોલ……

એક સમાટી ફરિયાદોથી અધિકારીનો ફોન વ્યસ્ત આવતા વાવડી કચેરીએ જઇને ધમાલ.રાજકોટ શહેરના વાવડી સબ ડિવિઝનમાં વીજ ધાંધિયાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સોમવારે મોડી રાત્રે લાઇટ જવાથી ત્રાસેલા રહીશો પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વરસાદનું ઝાપટું આવે તો પણ કલાકો સુધી લાઈટ ગુલ થઈ જાય છે. કોઈ એન્જીનિયર ફોન ઉપાડતા નથી.

જેને લઈ સોમવારે મોડી રાત્રે સ્થાનિક લોકો પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને રજૂઆત હતી. બીજી બાજુ કોઈ પણ અધિકારી સ્થાનિક લોકોનો ફોન પણ ન ઉપાડતા હોવાના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા. જોકે એક સાથે ૨૦૩૦ લોકો ફોન કરતા હોય બધાનો વેઇટીંગમાં આવતો હતો અને કુલ ૧૨૫ જેટલા કોલ કરાયાનું ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગમે ત્યારે બે- બે લાઈટ જતી રહે છે અને કોઈ પણ ચાલુ લાઇને ફોલ્ટ રીપરિંગ કરવા લોકોનું દબાણઃ ડેપ્યુટી ઇજનેર.આ સમગ્ર ઘટનાને લઇને વાવડી સબ ડીવીઝનના ડેપ્યુટી ઇજનેર શીયારાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઔદ્યોગીક ઉપરાંત રહેણાંક એપાર્ટમેન્ટ આવેલા છે.

મોટા ભાગના વિસ્તાર કે જેમાં ૪૦૦૦ જેટલા કનેકશન છે. તેને અલગથી સબ સ્ટેશન ઉભું કરીને તેમાં જોડી દેવામાં આવ્યા છે. વિસ્તારમાં નવા બની રહેલા એપોર્ટમેન્ટમાં કનેકશન આપવા ટીસી ઉભુ કરવાનું હોય કે કોઇ ફોલ્ટ હોય ત્યારે રીપેરીંગ માટે માનવ જીંદગી જોખમાય નહીં માટે પણ લાઇટ બંધ કરવામાં આવે તો લોકો કચેરીએ આવી પહોંચે છે અમે ચાલુ લાઈને જ ફોલ્ટ રીપેર કરવા દબાણ કરે છે.

અધિકારીઓ જવાબ આપતા નથી. જેને લઈ સોમવારે મોડી રાત્રે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અધિકારીઓનો ફોન પણ સતત વ્યસ્ત આવ્યો વ્યસ્ત આવી રહ્યો છે. જેમના કારણે પણ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS