Wednesday, March 12, 2025

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એન.એમ.એચ.સી.), લોથલ, ગુજરાત માટે ઓનસાઇટ સમીક્ષા અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી……

ઓનસાઇટ પ્રોજેક્ટ સમીક્ષા અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકો નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.પ્રોજેક્ટના તબક્કા 1A માટે ભૌતિક પ્રગતિ લગભગ 55% છે; તબક્કા 1B માટેના ટેન્ડરો જુલાઈ 2024 સુધીમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે.બાકીના તબક્કા માટે હાલમાં ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે

Press Information Bureau

સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (એમઓપીએસડબલ્યુ) દ્વારા ગુજરાતનાં લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી) વિકસાવવામાં આવ્યું છે. વિશ્વકક્ષાની આ સુવિધાનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનવાનો છે, જે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડ્યુટેનમેન્ટ અભિગમ મારફતે પ્રાચીનથી આધુનિક સમય સુધી ભારતના દરિયાઇ વારસાને પ્રદર્શિત કરે છે. એમઓપીએસડબલ્યુના સાગરમાલાના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં ઓનસાઇટ પ્રોજેક્ટ પ્રગતિ સમીક્ષા બેઠક 11 જુલાઈ, 2024ના રોજ ગુજરાતના લોથલમાં એનએમએમએચસી પ્રોજેક્ટ સાઇટ ખાતે યોજાઇ હતી. 

ત્યારબાદ 12 જુલાઈ 2024ના રોજ અમદાવાદના સ્ટેટ ગેસ્ટ હાઉસમાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. એમઓપીએસડબલ્યુ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ), એમઓસી, એમઓડી (નેવી એન્ડ કોસ્ટ ગાર્ડ), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ) અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓએ આ બેઠકોમાં ભાગ લીધો હતો.

ગુજરાત સરકારે એન.એમ.એચ.સી. માટે સરગવાલા ગામમાં 400 એકર જમીન ફાળવી છે અને આ પ્રોજેક્ટ માટે બાહ્ય માળખાગત સુવિધાઓનો વિકાસ પણ હાથ ધર્યો છે. જેમાં સરગવાલા ગામથી એન.એમ.એચ.સી. પ્રોજેક્ટ સાઇટ સુધીનો 1.5 કિ.મી.નો માર્ગ પૂર્ણ કરવો, 17 કિ.મી.ની ટ્રાન્સમિશન લાઇન પાથરવી, 66 કેવી જીઆઇએસ સબસ્ટેશનના સેટઅપ માટે ભંડોળ પૂરું પાડવું અને નર્મદાના પાણી પુરવઠા અને સ્ટોરેજ ટેન્કની જોગવાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ માટે મૂળભૂત આંતરિક માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 150 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ભૌતિક પ્રગતિ આશરે 55 ટકા છે, જેમાં તમામ ગેલેરી ટેન્ડર પેકેજ આપવામાં આવ્યા છે અને ફેઝ 1બી માટેના ટેન્ડર જુલાઈ 2024 સુધીમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે. બાકીના તબક્કાઓ માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આ દરિયાઈ સંકુલમાં વિશ્વના સૌથી ઊંચા દીવાદાંડી સંગ્રહાલયોમાંનું એક, વિશ્વની સૌથી મોટી ખુલ્લી જળચર ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નૌકા સંગ્રહાલય હશે, જે તેને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બનાવશે.

માર્ચ, 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટને આશરે રૂ. 4500 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે અને તેમાં કેટલીક નવીન અને વિશિષ્ટ ખાસિયતો સામેલ હશે. તેમાં હડપ્પીય સ્થાપત્ય અને જીવનશૈલીની નકલ કરવા માટે લોથલનું લઘુ મનોરંજન, ચાર થીમ પાર્ક (મેમોરિયલ થીમ પાર્ક, મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક), અને હડપ્પીય સમયથી અત્યાર સુધીના ભારતના દરિયાઇ વારસાને દર્શાવતી ચૌદ ગેલેરીઓ સામેલ છે. આ ઉપરાંત ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વિવિધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું દરિયાકિનારાનાં રાજ્યોનું પેવેલિયન પણ હશે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS