
કુવેતના માંગાફ શહેરમાં બુધવારે 6 માળની ઈમારતમાં લાગી આગમાં 49 મજુરોના મોત થયા છે. જયારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતક પામેલા લગભગ 42 ભારતીયો છે.

ANI અનુસાર, આમાંથી ૧૨ કેરળના અને ૫ તમિલનાડુના હતા. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોજ કુવેત જવા રવાના થયા છે.
મૃતકોના પરિવારજનો ને ૨-૨ લાખ રૂપિયાનું વળતળ આપવામાં આવશે.
આ ઘટના ને ધ્યાન માં રાખી PM મોદીએ બુધવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી . બેઠક માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારજનો ને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી ૨ લાખ રૂપિયાનું વળતળ આપવામાં આવશે.

PM મોદીએ મૃતકોના પરિવાર પ્રયે સવેન્દના વ્યક્ત કરી હતી.